ગૌમાતાને લીલી જુવાર ખવડાવી રક્ષાબંધન પર્વની ઉજવણી

- text


ભીમગુંડા ગામના ઉપસરપંચે પાંચ વીઘામાં વાવેલી જારને ગૌમાતાઓને ખવડાવી 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુંડા ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ નરસીભાઈ વીજવાડિયાએ આજે રક્ષાબંધન પર્વ ઉપર ગૌમાતાઓ માટે સેવાકાર્ય કર્યું હતું. તેમણે પોતાના ખેતરના પાંચ વિધા જમીનમાં જાર વાવી હતી અને આ જારનો પાક લણવા માટે તૈયાર હતો. પરંતુ તેઓએ આજે રક્ષાબંધન પર્વ ઉપર ગામની ગાયોને પાંચ વિધા જમીનમાં વાવેવી જાર ખાવા માટે ખુલ્લી છોડી દીધી હતી. અંદાજે પાંચથી વધુ ટ્રેકટર ભરાય તેટલો જારનો જથ્થો હતો. પણ રક્ષાબંધન પર્વ ઉપર ગાયો માટે સેવાકાર્ય કરી અંદાજે 300થી વધુ ગાયોને પાંચ વિધા જમીનમાં વાવેલી જાર ખવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

- text

- text