ચન્દ્રયાન-3 ની સફળતા માટે સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે વિશેષ રુદ્રાભિષેક કરાયો

- text


મોરબી : સમગ્ર દેશમાં ચન્દ્રયાન-3 માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ચન્દ્રયાન-3 ની સફળતા માટે અનેક જગ્યાએ યજ્ઞ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર (જાગીર) ખાતે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ મંદિરના મહંત ગુલાબગીરી દ્વારા ચન્દ્રયાન – 3 સફળતા પૂર્વક ચન્દ્રની ધરતી પર ઉતરે એ માટે તથા ભારતના તમામ વૈજ્ઞાનિકોની મેહનત સફળ થાય તે માટે વિશેષ રુદ્રાભિષેક કરી ભોળાનાથને પ્રાથના કરવામાં આવી હતી.

- text