મોરબીની માધાપર પ્રાથમિક શાળામાં ગાજર ઘાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ભારતની દરેક કૃષિ યુનિવર્સિટી દ્વારા ગાજર ઘાસ નિર્મૂલ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. ત્યારે મોરબીની માધાપર પ્રાથમિક શાળામાં ગાજર ઘાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

ગાજર ઘાસ નિર્મૂલ સપ્તાહની ઉજવણી નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી સમાજમાં ગાજર ઘાસથી થતા નુકસાન વિશે સમજણ આવે અને જે આપણા ખેતર, ફાર્મ હાઉસ, સ્કૂલ કે ઘરની આજુબાજુ ગાજર ઘાસ ન થાય તે અંગેની જાગૃતિ આવે તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજુબાજુથી ગાજર ઘાસ કાઢી અને તેનું કમ્પોસ્ટિંગ કરી અને ખાતર બનાવવાનું અને આ બાબતે ગામડે જઈ ખેડૂતોને માહિતગાર કરવા સ્કૂલમાં બાળકોને ગાજર ઘાસ વિશે સમજણ આપવી અને રેલીનું આયોજન કરવું વગેરે બાબતે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીની માધાપર પ્રાથમિક શાળામાં ગાજર ઘાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના બાળકોને ગાજર ઘાસથી થતા નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના વૈજ્ઞાનિક દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી.

- text

- text