મોરબીમાં શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબીમાં ધાર્મિક ઉત્સવ સમિતિ તથા સમસ્ત સીંધી સમાજ દ્વારા તા. 20 ઓગસ્ટને રવિવારના સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ચાલીસા સાહેબ મહોત્સવ નિમિત્તે સવારે 8:30 કલાકે પુર્ણાહુતી પૂજાવિધિ, સવારે 10:30 કલાકે અખ્ખો- પજડા- આરતી- પલ્લવ તેમજ બપોરના 12 થી 2:30 સુધી ભંડારો (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજના પુર્ણાહુતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત ઈન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, ન્યુ એરા સ્કુલની બાજુમાં, રવાપર ઘુનડા રોડ ખાતે સાંજે 5:30 કલાકે ભેહરાણા સાહેબ, રાત્રે 8:30 કલાકે જ્યોતિ પરવાના અને રાત્રે 9 કલાકે ભંડારો (પ્રસાદ) યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સિંધી સમાજના દરેક ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહેવા સિંધી જનરલ પંચાયત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text