મોરબીના નગર દરવાજા ખાતે એબીવીપી દ્વારા ધ્વજવંદન કરાયું

- text


મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મોરબી શાખા દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીની આન, બાન અને શાન એવા નગર દરવાજા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિરામીક વોલ ટાઈલ્સ એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ તકે પોલીસ જવાનો, સ્થાનિક લોકો તેમજ એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text