મોરબી જિલ્લામાં વહિવટીતંત્ર દ્વારા ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ

- text


સેલ્ફી લો અને મેળવો હર ઘર તિરંગા સર્ટિફિકેટ

મોરબી : આજે આપણો દેશ આઝાદીનો ૭૭મો સ્વાંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે દેશના ઘરે ઘરે- ખુણે ખુણે તમને બસ એક જ રંગ દેખાશે અને એ છે તિરંગાનો રંગ.

આજે આપણે આપણા ઘરે તિરંગો ફરકાવીને સ્વાંત્ર્ય પર્વને આનંદ સાથે માણી શકીએ તે માટે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી સ્વાંત્ર્ય પર્વના દિવસે દેશના દરેક ઘરે લોકો તિરંગો લહેરાવી શકે તેમજ તિરંગા સાથે ફોટો પાડીને હર ઘર તિરંગા સર્ટિફિકેટ પણ મેળવી શકે.

- text

આ તિરંગા વિતરણમાં મોરબી જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતમાં કુલ ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લાની જાહેર જનતા હર ઘર તિરંગા સર્ટિફિકેટ મેળવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને તેમ વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.

- text