સમસ્ત દેદાણી જાડેજા પરિવારનું સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે

- text


મોરબી : સમસ્ત દેદાણી જાડેજા પરિવારના તેજસ્વી તારલાઓનું આગામી તા. 28 ઓક્ટોબરને શરદ પૂનમના સવારે 9 કલાકે કચ્છ (ભુજ) જીલ્લાના ભચાઉ તાલુકાના કંથકોટ કિલ્લો, કંથડનાથજીધામ ખાતે સન્માન તેમજ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત દેદાણી જાડેજા પરિવાર દ્વારા સમાજના ધો. 9 થી 12 તેમજ કોલેજ, સ્નાતક સુધીના દેદાણી પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહ માટે જ્ઞાતિના જે વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને ઓછામાં ઓછા 60% હોય તેમણે અસલ ગુણપત્રકની નકલ તેમજ અરજીના નમુના સાથે તા. 1ઓક્ટોબર સુધીમાં જયરાજસિંહ એન. જાડેજા(કોર્પોરેટર)-99258 47777, મોમાઇકૃપા, 21,ગીરીરાજ સોસાયટી, અનંત નગર નજીક, મોરબી ખાતે મોકલી આપવાની રહેશે. આ કાર્યક્રમ માત્ર દેદાણી જાડેજા ભાઈયાત પુરતો જ મર્યાદિત છે. તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવું ફરજીયાત રહેશે. જો કોઈ કારણસર ગેરહાજર રહેશે તો તેનું નામ રદ કરવામાં આવશે. આ સમગ્ર સમારોહના દાતા તરીકે જાડેજા ઉમેદસિંહ દોલુભા (તા.ભચાઉ) રહેશે.

- text

- text