મોરબીની સોમૈયા સોસાયટી ખાતે 10 ઓગસ્ટથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

- text


મોરબી : હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીની સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તારીખ 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ ને બુધવાર સુધી કરવામાં આવ્યું છે.

મોરબીના વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટી ખાતે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં 10 ઓગસ્ટ ને ગુરુવારથી 16 ઓગસ્ટ ને બુધવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા યોજાશે. જેમાં વ્યાસપીઠ પર શાસ્ત્રી રાજનદાદા (મોરબીવાળા) બીરાજી દરરોજ બપોરે 2-30 થી સાંજના 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. આ કથામાં એકત્ર થનાર ફાળો ધાર્મિક કાર્યમાં વપરાશે. તો આ કથામાં પધારવા માટે સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text