મોરબીના લાલપર ગામે નાસ્તો લેવા ગયા બાદ યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના લાલપર ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે રાયમલભાઈ ટપુભાઈ ધરજીયાની પુત્રી માયાબેન ઉ.19 ગત તા.2 ઓગસ્ટના રોજ રાત્રીના આઠેક વાગ્યે ઘેરથી નાસ્તો લેવાનું કહીને નીકળ્યા બાદ ઘેર પરત ન ફરતા માયાબેનના પિતા રમેશભાઈ ઉર્ફે રાયમલભાઈ ધરજીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. ગુમ થનાર માયાબેન શરીરે પાતળા બાંધાના, ચહેરો ગોળ, ઘઉં વર્ણા છે અને ઘેરથી નિકળા ત્યારે આછા ટમેટી કલરનો ઝભ્ભો અને લીલા કલરની પટિયાલા ચોરણી પહેરેલ હતી. જો કોઈને માયાબેન વિશે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text

- text