હળવદ “આપ” સંગઠનમાં વિવિધ મોરચાના પ્રમુખની વરણી કરવામાં આવી 

- text


યુવા મોરચો,કિશાન મોરચો,ઓબીસી મોરચો,જય ભીમ સંગઠન અને તાલુકાના પ્રભારીની નિયુક્તિ કરાઈ

હળવદ : હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના વિવિધ મોરચામાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.જેમાં નવ નિયુક્ત હોદ્દેદારોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથે સાથે હળવદ નગરપાલિકાની ચૂંટણી પણ નજીક હોય જેને લઇ હળવદમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે. તાજેતરમાં જ કેટલાક મોરચાના હોદ્દેદારોની નિમણૂકો અપાય છે.

- text

જેમાં હળવદ તાલુકાના પ્રભારી તરીકે કમલેશભાઈ ડઢાણીયા,કિસાન મોરચાના તાલુકા પ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા,જય ભીમ સંગઠનના તાલુકા પ્રમુખ તરીકે ભરતભાઈ મકવાણા,ઓબીસી મોરચાના તાલુકા પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર દાન ગઢવી અને તાલુકા યુવા પ્રમુખ તરીકે દેવરાજભાઈ સાકરીયાને જવાબદારી સોંપાઈ છે. તેની સાથે સાથે દરેક મોરચામાં ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીની પણ વર્ણી કરવામાં આવી હતી.

હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠનમાં જવાબદારી મળેલ હોદ્દેદારોને તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી અને શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text