મોરબીમાં ઋષભનગર-3માં કિચડનું સામ્રાજ્ય, સ્થાનિકો ત્રસ્ત

- text


મોરબી : મોરબીના ઋષભનગર-3માં કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. આ મામલે તેઓએ પાલિકાને રજુઆત પણ કરી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરબીના ઋષભનગર-૩માં ચબૂતરા સર્કલ પાસે ઉપર ન્યુ અનુમપ સોસાયટી પાસે વરસાદના કારણે ગંદકી ફેલાય છે. રસ્તા ઉપર કિચડને કારણે ચાલી શકાય તેમ નથી. દરરોજ અહીંના સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત શાળાના વાહનો પણ કિચડને લીધે અહીં આવતા બંધ થઈ ગયા હોય વાલીઓ હેરાન થઈ રહ્યા છે.

- text

- text