હરિયાણામાં વ્રજ મંડળ યાત્રા ઉપર હુમલાના વિરોધમાં હળવદમાં બજરંગ દળ દ્વારા ધરણા

- text


એક-એક આરોપીને પકડી ફાંસીની સજા અપાવવા તથા મૃતકોને અને ઇજાગ્રસ્તોને સહાય ચુકવવાની માંગ

હળવદ : હરિયાણાના મેવાતના નુહમાં પરંપરાગત વ્રજ મંડળ યાત્રા પર થયેલા હુમલાને આયોજન બદ્ધ રીતે આતંકી હુમલો ગણાવી તેના વિરોધમાં હળવદ બજરંગદળ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા જણાવાયું છે કે હરિયાણાના મેવાતના નુંહમાં દર વર્ષે શ્રાવણ માસમાં ભગવાન શંકરના આશીર્વાદ લેવા ભક્તો મહાભારતકાળથી સ્થિત પાંચ મંદિરોમાં આવે છે. ગત સોમવારના રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા. અચાનક શ્રદ્ધાળુ ઉપર જેહાદી માનસિકતા ધરાવનાર ઉપદ્રવિઓ દ્વારા યોજના બદ્ધ રીતે પથ્થર, પેટ્રોલ બોમ્બ તેમજ ગોળીબાર કરી હુમલો કરવામાં આવેલ તેમજ ગાડીઓને આગ લગાવવામાં આવેલ હતી. શ્રદ્ધાળુઓએ જ્યાં પણ બચવા માટે ભાગવાનો પ્રયત્ન કરેલ ત્યાંથી પણ તેમની ઉપર હુમલો કરવામાં આવેલ હતો. કેટલાક ભક્તોને નલહાડ મંદિરમાં શરણ લીધેલ પણ ત્યાં પણ જેહાદીઓએ હુમલો કરેલ હતો. પોલીસ સ્ટેશનમાં શરણ લીધેલ ભક્તો ઉપર પણ હુમલો કરવામાં આવેલ હતો. જેમાં ભક્તોને ગોળીઓ પણ વાગી હતી. પોલીસ વાહનોને પણ જેહાદીઓ દ્વારા આગના હવાલે કરવામાં આવ્યા હતા.

- text

આ ઘટનાની પ્રખંડ નિંદા કરવામાં આવે છે અને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. આ ઘટનાના વિરોધમાં આજે સંપૂર્ણ દેશભરમાં બજરંગ દળ દ્વારા ધરણાં પ્રદર્શનનોનું આયોજન કરવામાં આવેલ છે. આવા જીહાદી ક્રુર માનસિકતા ધરાવનાર આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે સંપૂર્ણ મેવાત ક્ષેત્રને સીલ કરી કોમ્બિંગ કરી ધરપકડ કરવામાં આવે તેવી માંગ છે.

આ હુમલામાં બજરંગ દળના બે કાર્યકર્તાઓ તેમજ સમાજના બે અન્ય વ્યક્તિઓની નિર્મમ હત્યા થઈ છે એમના પરિવારજનોને આજીવન રાહત મળે તેવી સહાય તેમજ ઘાયલોને પણ મેડિકલ સહાય આપવામાં આવે જે ગાડી નષ્ટ થઈ છે એમની ક્ષતિ પૂર્તિ થાય તેમ જ એક એક જેહાદીને પકડીને સખતમાં સખત ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ છે.

- text