- text
મોરબી : આજે તારીખ 31 જુલાઈના રોજ સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત મોરબી તાલુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મોરબીના જોધપર રોડ પર આવેલા શક્તિ માતાજીના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે મોરબી તાલુકા સંયોજક નવનીતભાઈ વરસડા, કિશનભાઈ સોલંકી તથા સાથી સંયોજક અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text