મોરબીના જલારામ મંદિરે આગામી 4 ઓગસ્ટે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ પરિવારના સહયોગથી યોજાશે કેમ્પ

મોરબી : મોરબીના જલારામ મંદિરે આગામી તારીખ 4 ઓગસ્ટના રોજ સ્વ. ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા સર્વેને અનુરોધ કરાયો છે.

રાજકોટની જાણિતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ અને શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત આગામી તારીખ 4 ઓગસ્ટ ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મોરબીના સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહિનાની 5 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, હરીશભાઈ રાજા-9879218412, નિર્મિતભાઈ કક્કડ-9998880588, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 23 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 7425 લોકોએ લાભ લીધો હતો તેમજ 3271 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.

- text