ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા પુરુષોત્તમ માસમાં દર રવિવારે વિશેષ ઉજવણી

- text


મોરબી : હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા દર રવિવારે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.

ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવો જેવા કે રામ નવમી, જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા, ભગવાનનું ગઢપુર આગમન જેવા અનેક ઉત્સવો ઉજવીને પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ કરવામાં આવી રહી છે. દર રવિવારે મોરબીના શનાળા રોડ પર આવેલા શ્રીજી પેલેસ ખાતે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન સમૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં મોરબીના અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા હરિભક્તો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.

- text

- text