ગાળા નજીક રોડના કામમાં બેદરકારીને પગલે 9 ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબ્યા!

- text


સામાજિક કાર્યકરની માર્ગ અને મકાન વિભાગને રજુઆત, ખેડૂતોને સહાય આપવાની માંગ

મોરબી : નેશનલ હાઇવે તેમજ અન્ય રોડના બાંધકામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યયવસ્થાના અભાવે ખેડૂતના ખેતરમાં પાણી ભરાતા થયેલ પાકના નુકશાનનું વળતર ચુકવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે મોરબી તાલુકાના ગાળા ગામે ખેડૂત ખાતેદારોના ખેતરમાં હાલ બે ફૂટથી પણ વધારે પાણી ભરેલા છે. જેના કારણે પાક નિષ્ફળ ગયેલ છે. આ પાણી ભરાવાનું કારણ રોડના બાંધકામમાં થયેલ બેદરકારી તથા પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થા છે. પ્રવીણ ઓધવજીભાઈ, વનજી ભાઈ પ્રેમજી ભાઈ, સૈલેશભાઈ એસ. અંદરપા,મગનભાઈ હરજીભાઈ, રાજેશભાઈ ત્રિભોવનભાઈ, મનસુખભાઇ હરખજીભાઈ, ભાવેશભાઈ ખોડાભાઈ, બીપીનભાઈ રમેશભાઈ, હરિલાલ ભીમજીભાઈ આમ કુલ 9 ખેડૂતોના ખેતરોમાં હાલ વરસાદી પાણી ભરાયેલ છે. તેઓનો પાક નિષ્ફળ ગયેલ છે.

- text

જેથી ખેડૂતોને આનાથી પારાવાર નુકશાની ભોગવવી પડી રહી છે. અને આવું લગભગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી થઇ રહ્યું છે. જો આ બાબતે વહેલા સર યોગ્ય પગલા લેવામાં નહી આવે તો જેતે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેમ અંતમાં જણાવાયું છે.

- text