મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે જે લોકો મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તેવા જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કિટમાં ૧ નોટબુક, ૧ પાણી ની બોટલ, ૧ નાસ્તાનો ડબ્બો, પેન્સિલ, રબર, વેફર, અને ચોકલેટ આપવામા આવી હતી. આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ તકે ત્યાંના સંચાલક વિનોદભાઈ નિમાવતે પણ સહયોગ આપ્યો હતો.

- text

- text