જલારામ પ્રાર્થના મંદિરમાં ચાલતા સદાવ્રતમા ક્ષત્રિય સમાજના અગ્રણી દ્વારા મહાપ્રસાદ યોજાયો

- text


મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)એ મહાપ્રસાદ યોજી જલારામબાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)એ સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ તકે મયુરસિંહ જાડેજા (ચાંદલી), ભવ્યરાજસિંહ જાડેજા, વિશાલભાઈ બાંભવા, જયદીપભાઈ વૈષ્ણવ, દીગુભા રાઠોડ, સોહિલભાઈ સુમરા, અર્જુનભાઈ ભાનુશાલી, નિખિલભાઈ છગાણી સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂ. જલારામ બાપાની મહાઆરતી કરી, પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.

- text

- text