આવતીકાલે વાંકાનેરમા મહારાજા કેસરદેવસિંહજીનો સ્વાગત અભિવાદન સમારોહ યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેર મહારાણા રાજસાહેબ કેસરદેવસિંહજી ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્તિ કરવામાં આવતા મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 16 ને રવિવારે સવારે 8 કલાકે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વાગત સમારોહની યાત્રા સવારે 8 કલાકે હાઈવે જકાતનાકાથી પ્રસ્થાન કરી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ બાપુના બાવલા (સ્ટેચ્યુ) ખાતે સમાપન થશે. ત્યાર પછી બાપુના બાવલા ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેર અને જિલ્લાના અનેક મહેમાનો ઉપસ્થિત રહેશે. આ સભા સમાપન બાદ વાંકાનેર પાંજરાપોળ ખાતે ભાજપ પરિવાર (ગરાસીયા બોર્ડીંગ) દ્વારા સ્વરૂચી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સર્વે પ્રજાજનોને હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text