મોરબીના અણિયારી ગામના સરપંચનું સસ્પેનશન દૂર કરો : ગ્રામજનોની આંદોલનની ચીમકી 

- text


મોરબી : મોરબી તાલુકાના અણીયારી ગામના સરપંચ પોતાની ફરજ બજાવવામાં સમર્થ ન હોવાથી તેમને ડીડીઓ દ્વારા સરપંચના હોદ્દા પરથી દૂર કરવા હુકમ કરતા ગ્રામજનો દ્વારા ડીડીઓના આ નિર્ણયનો વિરોધ કરી તાત્કાલિક સરપંચ પદે પુનઃ સ્થાપિત કરવા માંગ કરી અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સરપંચને હોદા ઉપરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયનો વિરોધ કરી આજે અણિયારી ગામના લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે, સરપંચ કંચનબેન દુર્લભજીભાઈ વરસડાને ગ્રામજનોએ સર્વસંમતિથી બિનહરીફ સમરસ છૂટી કાઢ્યા છે. વધુમાં તેમની સામેના બેબુનિયાદ ગણાવી ગ્રામજનોએ તાત્કાલિક તેમનું સસ્પેનશન દૂર કરી પુનઃ સ્થાપિત કરવા માંગ કરી છે અન્યથા આંદોલન કરવા ચીમકી પણ ઉચ્ચારી હતી.

- text

- text