રવિવારે મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ 

- text


મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તારીખ 9 જુલાઈ ને રવિવારે સવારે 8 થી 1 દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.

જેમાં ઈંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા જેવા દરેક જાતના કલમી આંબા, ચીકુ, દાડમના રોપા, મજબૂત ટકાઉ હવા ઉજાસ વાળા દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે આપવામાં આવશે. કાળી માટીના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ફૂલ છોડના કુંડા, દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ પાવડર, સિંધા નકમ, શુધ્ધ ચોખ્ખુ મધ, ચોમાસું શાક બકાલાના બીયારણ પેકેટ, ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતીથી બનેલ જીરૂ, ધાણા, રાઈ, મેથી, ગૌ મુત્રની ફીનાઈલ, ગાયના છાણા રાહત ભાવે મળશે. વધુ માહિતી માટે પ્રમુખ વી ડી બાલા- 9427563898 અથવા લવજીભાઈ પ્રજાપતિ મોરબી-9925369465નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

- text