મોરબી જિલ્લામાં કાલે બુધવારે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ અને રોપાનું ફ્રી વિતરણ કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક સમિતિ અને ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ- ખાખરેચી દ્વારા આગામી તારીખ 5 જુલાઈના રોજ રક્તદાન શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમ અને વૃક્ષોના રોપાનું ફ્રી વિતરણ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.

જેમાં 5 જુલાઈના રોજ સવારે 9 કલાકે ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર મોરબીના સ્વામી પ્રેમ પ્રકાશદાસજીના હસ્તે સ્થળ પર વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બપોરે 3 કલાકે માણાબા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. આ પ્રસંગે વૃક્ષોના રોપાનું ફ્રી વિતરણ કરવામાં આવશે.

- text

- text