અકસ્માત નિવારણ માટે ટંકારા આર્યસમાજની મહિલા પાંખ દ્વારા શાંતિ યજ્ઞ યોજાયો

- text


ટંકારા : ટંકારાની આર્યસમાજની મહિલા પાંખ દ્વારા અકસ્માત અટકાવવા અને અવેરનેસ માટે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા સદગત આત્માઓની શાંતિ અર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટંકારાના જબલપુરના પાટીયા પાસે લતીપર રોડ ઉપર થતા વારંવાર અકસ્માત અને તેમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માને શાંતિ મળે તથા લોકોમાં રોડ અકસ્માતોને લઈ જાગૃતતા આવે તેવા ઉમદા આશયથી ટંકારાની આર્યસમાજની મહિલા પાંખ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ય વિરાંગના દ્વારા યજ્ઞ, શાંતિપાઠ પ્રાર્થના કરી રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી.

- text

- text