રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ મોરબી જિલ્લાના પ્રવાસે

- text


મોરબી : આજે તા. 24ના રોજ જળસંપત્તિ, પાણી પુરવઠો, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રી કુંવરજીભાઈ બાવરીયા મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યા છે. જેમાં તેઓ બપોરના 2 કલાકે નવી કલેકટર કચેરી પાછળ આવેલી ધર્મસિદ્ધિ સોસાયટી ખાતે સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. ત્યારપછી બપોરના 3 કલાકે વવાણીયા ખાતે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે તેમજ ખારાપાટ વિસ્તારના ગામોની મુલાકાત કરશે. સાંજે 5:30 કલાકે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે પ્રાથમિક શાળામાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

- text

- text