હળવદના વડનગરમાંથી ગુમ થયેલ વૃધ્ધની લાશ કેનાલમાંથી મળી

- text


છેલ્લા બે દિવસમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાના ત્રણ બનાવ સામે આવ્યા

હળવદ : હળવદ શહેરના વડનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધ ગઈકાલે ગુમ થયા બાદ તેમનો મૃતદેહ પરિશ્રમ હોટલની પાછળથી પસાર થતી નર્મદા કેનાલ માંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ બસ સ્ટેશન પાછળ આવેલ વડનગર વિસ્તારમાં રહેતા મોહનભાઈ વાલાભાઈ રબારી ગઈકાલે સવારના દસેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે આજ સવાર સુધી પરિવારજનોના ગોતવા છતાં પણ વૃધ્ધ ક્યાંથી મળી આવ્યા ન હતા. તેવામાં આજે હળવદ હાઇ-વે પર આવેલ હોટલ પરિશ્રમની પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં કોઈ વૃધ્ધની લાશ તરતી હોવાનું ત્યાંથી પસાર થતાં રાહદારીઓના ધ્યાને આવ્યું હતું. જેથી તેઓ દ્વારા બનાવની જાણ પોલીસને કરાતા પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૃધ્ધ વડનગરમાંથી ગઈકાલે ગુમ થયા હતા તેઓની જ હોવાનું સામે આવતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ બનાવવામાં પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

- text