વાવાઝોડાની અસર ! સુત્રાપાડા, વેરાવળમા 4 ઈંચ, જૂનાગઢ ઉપલેટામાં એક ઇંચ વરસાદ

- text


મોરબી : બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ છે આજે બપોરે બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યો છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જુનાગઢ અમરેલી રાજકોટ પોરબંદર સહિતના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

આજે બપોરે ચાર વાગ્યા બાદ વાવાઝોડાની અસર હેઠળ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ચાર ઇંચ. વેરાવળમાં પોણા ચાર, માળિયા હાટીના – માંગરોળમાં બે, કેશોદ-મેંદરડા -તાલાલામાં સવા ઇચઝ વંથલી, જૂનાગઢ અને ઉપલેટામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લાના ખાભામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

- text

પોરબંદર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે.

- text