મોરબી : ભરતનગર શાળાના 19 વિદ્યાર્થીઓ કોમન પ્રવેશ પરીક્ષામાં પાસ

- text


મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં પાંચમાં અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ભરતનગર પ્રાથમિક શાળાના ધોરણ 5 અને 6ના 24 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 19 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ભરતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર ગુજરાતમાં મોરબીનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text