રવિવારે ફૂલ છોડ, ચકલીના માળા સહિતની વસ્તુઓનું રાહત દરે વેચાણ કરાશે

- text


મોરબી: મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ-રાજકોટ દ્વારા તા ૧૧ ને રવિવારે સવારે ૮ થી ૧ કલાકે સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે, શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે રાહત દરે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં ઈંગ્લિશ ગુલાબ ,દેશી ગુલાબ મોગરો,ચાંપો,ગલગોટા દરેક કલમી રોપા રાહત ભાવે મળશે.મજબૂત ટકાઉ હવા ઉજાસ વારા દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે 70 રૂપિયામાં મળશે. કાળી માટી ના વાસણ રસોઈ બનાવા માટે,હાથેથી બનાવેલ તાવડી,પાટીયા ,ફુલ છોડ ના કુંડા દરેક જાતના ઓસડીયા હાથે ખાંડેલા ચુર્ણ પાવડર,સિંધા નમક, શુધ્ધ ચોખ્ખુ મધ મળશે તેમજ શાકભાજીના બીયારણ પેકેટ ફક્ત 5 રૂપિયા રાહત ભાવે મળશે. ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતી થી બનેલ જીરૂ,ધાણા ,રાઈ ,મેથી,ગૌમુત્રની ફીનાઈલ, ગાયની છાસ,દરેક જાતના અથાણાં શુધ્ધ સીંગ તેલથી બનાવેલા.આ દરેક વસ્તુ બપોરે બે વાગ્યા પછી ટંકારા મેન ઓવરબ્રિજ નીચે રાહત ભાવે મળશે. વધુમાહિતી માટે પ્રમુખ વી ડી બાલા- 9427563898 તેમજ લવજીભાઈ પ્રજાપતિ -મોરબી 9925369465 નો સંપર્ક કરવાનો રહેશે.

- text

- text