વાંકાનેરની માલધારી નેશ શાળામાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

- text


વાંકાનેરઃ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની માલધારી નેશ પ્રાથમિક શાળામાં સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે હમ સૂત્રને સાર્થક કરવા 5મી જૂન 2023 ને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાળકો તેમજ સામાજિક વનીકરણ રેન્જ રાજકોટ દ્વારા 51 વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ગત વર્ષે શાળાના આચાર્ય અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ- વાંકાનેરના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયાની નોકરીના 32 બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા. આ તમામ વૃક્ષો આજે લહેરાઈ રહ્યા છે. આ પ્રસંગે અશોકભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, લોકો વૃક્ષના મહત્વને સમજે, જાણે અને પર્યાવરણનું જતન કરતા થાય એ માટે 5મી જૂન 1973 થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી આવી છે. જેના ભાગરૂપે આજે શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈએ પણ ઉપસ્થિત તમામને પ્રેરણાત્મક વાતો કરી હતી. વૃક્ષોનું જતન કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપ્યા હતા. આ પ્રસંગે માલધારી નેશના વિસ્તારના આગેવાન અને એસએમસીના અધ્યક્ષ ગોવિંદભાઇ ફાંગલિયા ઉર્ફે નાનકાભાઈ તેમજ ગામના સરપંચ ગુલાભાઈ પરાસરાએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text