હદ છે…ચોરો સ્મશાનમાં મૃતદેહોને અગ્નિદાહ દેવાનો લોખંડના ખાટલો પણ ચોરી ગયા

- text


હળવદ : હળવદ પંથકમાં તસ્કરોએ માનવતા નેવે મૂકીને ચોરી કરવામાં હદ કરી નાખી હતી. જેમાં તસ્કરોએ હળવદના જુના અમરાપરના સ્મશાનની ખાટલીની ચોરી કરીને માનવતાને પણ લજવી હતી. ઘરફોડ ચોરી કરતા ચોરોએ સ્મશાનમાં મૃતદેહોને અગ્નિદાહ દેવાની લોખંડની ખાટલીની પણ ન મૂકીને ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના અમરાપર ગામે સમશાનમા ખાટલીની ચોરી થયાનો બનાવ સામે આવતા ગામલોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ઘરફોડ ચોરી કરતા ચોરોઅે માનવ અગ્નિદાહ દેવાની લોખંડ (બીડ) ની ખાટલીની પણ ન મુકીને આ ચોરી કરીને માનવતાને નેવે મૂકી હતી. જો કે માનવતાની હદ વટાવી ગયેલ ચોરો કોણ તેવા સવાલ સાથે ગામલોકોએ ભારે રોષ ઠાલવ્યો છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ચોર ટોળકી ખાટલીની ચોરી ગયા પણ પાના પકડ ભુલીને ગયા હતા. આથી ગામલોકોએ આવા હરામખોએ ચોર ટોળકીને પકડવાની પોલીસ સમક્ષ માંગ ઉઠાવી છે.

- text

- text