વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબીઃ આજે ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કે.વી.કે. ફાર્મ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કે.વી.કે. ફાર્મ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં આજુબાજુના ગામના ખેડૂત મિત્રો તથા મયુર નેચર ક્લબના સભ્ય જીતુભાઈ મહેતાએ હાજર રહી ફાર્મ પર વાવેતર કરવામાં આવ્યું હતું. તેઓએ ખેડૂતોને જુદા જુદા વૃક્ષોની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. જીવાની તથા ડી.એ. સરડવાએ પર્યાવરણ અને ખેતી વિષય ઉપર ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી.

- text

- text