પર્યાવરણ દિવસની ઉજવણી : નિર્મલ વિદ્યાલય દ્વારા રોપા અને ચકલીના માળાનું વિતરણ કરાયું

- text


સ્કૂલના પ્રથમ દિવસે Lkg ના વિધાર્થીઓને વિદ્યારંભ સંસ્કાર પણ કરવામાં આવ્યો

મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલય દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે શાળા ખુલવાના પેહલા દિવસે પ્રાથમિક વિભાગના બાળકોને પર્યાવરણ જતન અંગે સ્કૂલ સંચાલક ગીરીશભાઈ કલોલા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. અને બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવી દરેક બાળક એક વૃક્ષ વાવી તેનું જતન કરવા સમજાવ્યું હતું.

આ તકે નિર્મલ વિધાલયના ટ્રસ્ટી અમુભાઈ પટેલ સંચાલક નિલેશભાઈ કુંડારિયા, ગીરીશભાઈ કલોલાના હસ્તે બાળકોને વૃક્ષના રોપા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ સ્કૂલના પ્રથમ દિવસે Lkg ના વિધાર્થીઓને વિદ્યારંભ સંસ્કાર પણ કરવામાં આવ્યો. જેમાં પ્રથમ વખત શાળાએ આવનાર વિદ્યાર્થી અને વાલીઓ જોડાયા હતા.

- text

- text