ઘીયાવડ પ્રા.શાળામાં પર્યાવરણ દિવસની ઉજવણી

- text


વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને જંગલોનું મહત્વ સમજાવાયું 

વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રા. શાળા સીઆરસીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.સાથે જ વિદ્યાર્થીઓને ચર્ચા સભા દ્વારા જંગલોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

- text

શાળાના તમામ 170 બાળકોને વિડી રામપરા અભયારણ્ય, વન વિભાગ મોરબી તરફથી દફતર ભેટ આપવામાં આવ્યા હતા.સાથે જ બધા બાળકોને અલ્પાહાર કરાવવા માં આવ્યો હતો. આ તકે ગામના સરપંચ બટુકસિંહ ઝાલા અને એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જયદીપસિંહ ઝાલા (ઇન્ચાર્જ વનપાલ વિડી રામપરા), વી.જે ગોહિલ (વનરક્ષક,વિડી રામપરા), એમ. કે સાકરીયા (વનરક્ષક,વિડી રામપરા) તથા ઘીયાવડ પ્રા. શાળાના શિક્ષક ગણ એ જહેમત ઉઠાવી હતી.શાળા તરફથી શિક્ષક રવજીભાઈ બોસિયા એ સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો.તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવેલ છે.

- text