મોરબીના જલારામ મંદિરે યોજાયેલા નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 298 દર્દીઓએ લીધો લાભ

- text


મોરબીઃ જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે મોરબી શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તારીખ 4 જૂન ને રવિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 298 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 120 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.

આ માસનો કેમ્પ સ્વ. બચીબેન ગોકળભાઈ (હ. નાથાભાઈ તથા રત્નેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાધુ-સંતો માટે ભંડારો યોજવામાં આવ્યો હતો. જેમા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન, રત્નેશ્વરી બેન, નિરંજનદાસજી મહારાજ-મોરબી, ભુષણજી મહારાજ-અયોધ્યાપુરી મંદિર, હંસાગીરી માતાજી-ગીરનારી આશ્રમ, લાભુગીરી બાપુ-સપ્તેશ્વર મહાદેવ, પ્રવિણગીરી બાપુ-સિધ્ધેશ્વર મહાદેવ સહીતના બહોળી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ મંદિર ખાતે ગત 21 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 6825 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 3041 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલા કેમ્પમાં કુલ 298 લોકોએ લાભ લીધો હતો તેમજ 120 લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, ભરતભાઈ મીરાણી, મુકુંદભાઈ મીરાણી, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text