મોરબીના કેરાળા ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા, 6.30 લાખની ચોરી

- text


ઘરની ગ્રીલ તોડી ત્રાટકેલા તસ્કરો પાક વેચાણના રોકડા અને સોનાના દાગીના લઈ ગયા

મોરબી : મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી નિશાચરો ઘરની ગ્રીલ તોડી ખેડૂતના ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના સહિત 6.30 લાખ રૂપિયાની માલમત ઉઠાવી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામે રહેતા દિલીપભાઈ કાનજીભાઈ કારાવડીયાના રહેણાંક મકાનને નિશાન બનાવી તા.31મેના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ઘરની ગ્રીલ તોડી રૂમમાં રાખેલ પેટી પલંગમાંથી પાક ઉપજના રાખેલ રોકડા રૂપિયા 3.50 લાખ, એક તોલા સોનાની બંગડી, દોઢ તોલા સોનાના પાટલા, ત્રણ તોલા સોનાનો હાર, દોઢ તોલા વજનની ત્રણ વિટી, સહિત કુલ મળી 6.30 લાખ રૂપિયાની માલમતા ચોરીને લઈ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text