સિદસર ઉમિયાધામ શ્રી સવા શતાબ્દી મહોત્સવમાં મોરબીના પાટીદાર અગ્રણીને મહત્વની જવાબદારી સોંપાઈ

- text


મોરબી : ઉમિયાધામ- સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે યોજાનાર શ્રી સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે મોરબી શહેરના પાટીદાર અગ્રણીને બે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

આગામી તારીખ 21 થી 29 ડિસેમ્બર 2024 દરમિયાન ઉમિયાધામ સિદસર ખાતે ભવ્યાતિભવ્ય સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ મહોત્સવને ભવ્ય-દિવ્ય અને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી દ્વારા મહોત્સવના મોરબી શહેરના સહમંત્રી તરીકેની જવાબદારી એ.કે. પટેલને સોંપવામાં આવી છે.

- text

આ ઉપરાંત સમિતિ દ્વારા મહોત્સવ દરમિયાન વિશિષ્ટ દર્શન સમિતિ (52 શક્તિપીઠ, 12 જ્યોતિર્લિંગ, 4 યાત્રાધામ), પાટીદાર અસ્મિતા સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ એ.કે. પટેલને આપવામાં આવી છે. મહોત્સવમા સેવાર્થીનો શપથવિધિ સમારોહ આગામી તારીખ 2 જુલાઈ ને 2023 ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્ષ સિનેમા પાછળ આવેલા પેરેડાઈઝ હોલ ખાતે યોજાશે.

- text