- text
મોરબી : મોરબીમાં રવાપર ગામના ઝાંપા પાસે આવેલ ઉમા હોલ ખાતે સ્વ.ઉષાબેન રવીચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઇએમએ દ્વારા કાલે તા.24મેને બુધવારના રોજ સુવર્ણપ્રાશનના ટીપાનો કેમ્પ યોજાશે. જેમાં સાંજે 6થી 8 નિઃશુલ્કમાં સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવશે. 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીના બાળક આ ટીપાં લઈ શકે છે. આ કેમ્પમાં હિરેન પટેલ, ડો. મુકેશ ભોરણીયા, ચંદ્રકાંતભાઈ કોઠીયા સેવા આપવાના છે. કેમ્પનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. તેમ હિરેનભાઇ ભટાસણાની યાદીમાં જણાવાયું છે.
- text
- text