- text
મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે નીકળેલી યાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
મોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રા મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી. જેમાં ઉત્સાહભેર લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
મોરબીમાં આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ અવસર પર વિવિધ સંસ્થાઓ દ્વારા ધજાકા પતાકા સાથે ભવ્ય સનાતન સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી. આ સનાતન સ્વાભિમાન યાત્રા મોરબીના હૃદય સમાન નહેરુ ગેઇટ ચોક ખાતેથી પ્રસ્થાન થઈને ગ્રીનચોક, દરબાર ગઢ, મહેન્દ્ર ડ્રાઈવ પુલ, બન્ને પુલ પર થઇને સામાંકાંઠે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે પહોંચી હતી. ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે પ્રથમ વખત મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
- text
- text