ટંકારાના નસીતપર ગામે મંગળવારે રામામંડળ 

- text


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટિફિન સેવાના લાભાર્થે આયોજન

ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટીફીન સેવા પૂરી પાડતા સદભાવના સંકુલ માટે તા.૨૩/૦૫/૨૦૨૩ ને મંગળવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે પીઠડાઈ ગૌ સેવા રામામંડળ – પીઠડનું ભવ્ય રામામંડળ યોજાશે.

તેમાં એકત્રિત થનાર તમામ રકમ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ટીફીન સેવા માટે અર્પણ કરવામાં આવશે. તો આ લોકસેવા ના કાર્ય સહભાગી થવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને નસીતપર ગામના આંગણે પધારવા નું હાર્દીક આમંત્રણ છે.

છેલ્લે ૧૪ વર્ષથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેના પત્ની ભાવનાબેન કાસુન્દ્રા દ્વારા મોરબી જીલ્લા સહીતના કોઈપણ દાખલ દર્દીઓ માટે ટીફીન સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે. જે સેવાકાર્યને પ્રોત્સાહન આપી નાણાકીય મદદ કરવાના હેતુથી સમસ્ત નસીતપર ગામ દ્વારા વિખ્યાત રામા મંડળનું આયોજન કરાયું છે આ પ્રસંગે એકત્રિત થયેલ રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ખાતે એનાયત કરવામાં આવશે. જે ટિફિન સેવા માટે વાપરવામાં આવશે.

- text

દર્દીના સગાને રહેવા માટે 90 રૂમનુ નવુ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જીલ્લાના તમામ દાખલ દર્દીઓના સગા સંબંધી માટે ફાયદો થશે. અમદાવાદ હોસ્પિટલ ખાતે આવતા દર્દી ની સેવા માટે તથા અનુદાન માટે મો.93749 65764 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

- text