માળીયાના તરઘરી ખાતે હઝરત ભાવદીપીર કોઠાવાળા પીરનો ઉર્ષ મુબારક યોજાશે

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામે આવેલા હઝરત ભાવદીપીર કોઠાવાળા પીરનો ઉર્ષ મુબારક દર વર્ષેની જેમ આ વર્ષે પણ તારીખ 15 મે ને સોમવારના રોજ ઉજવાશે.

ઉક્ષ મુબારકની ઉજવણી પ્રસંગે સવારે 9 કલાકે સંદલ શરીફ, 10 કલાકે વાયેઝ શરીફ અને 10-30 કલાકે ન્યાઝ શરીફ હોવાનું હઝરત ભાવદીપીર કોઠાવાળા પીર દરગાહ શરીફના મુઝાવર શાહમદાર હુશૈનશાહ બચુશા ડાડાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ તકે તરઘરી ગામના સરપંચ સાગરભાઇ ફુલતરીયા સહિત સમસ્ત ગ્રામજનો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text