રાજકોટ માવતરના ઘરે ઝેર પી લેનાર મોરબીની પરિણીતાનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ પર સાસરૂ ધરાવતા પરિણતાએ રાજકોટમાં માવતરના ઘરે શનિવારે ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના લીલપર રોડ ઉપર રહેતા કવિતાબેન સચીનભાઇ પીપળીયા, ઉ.22 નામના પરિણીતા શનિવારે રાજકોટ રૈયા રોડ ઉપર કનૈયા ચોક નજીક તિરૂપતીનગર-૨માં રહેતાં પિતા મનોજભાઇ અઘોલાના ઘરે આટો દેવા આવી હતી. અહિ સવારે તેમણે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતી. તેણે ગત રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કવિતાબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. તેના આ પગલાથી એક પુત્રમા વિહોણો થયો છે.

- text

- text