મિગ વિમાન મકાન ઉપર ખાબકતા 2ના મોત 

- text


રાજસ્થાનના હનુમાનગઢમાં બનેલી ઘટનામાં બે પાયલોટ સુરક્ષિત 

મોરબી : રાજસ્થાનમાં આજે ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન તૂટી એક મકાન ઉપર ખાબકતા બે સ્થાનિક લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જો કે, આ ઘટનામાં પ્લેનમાં સવાર બન્ને પાયલોટનો બચાવ થયો હતો.

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે ગ્રામીણના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ વિમાન ક્રેશ થઈને એક મકાન પર પડ્યું હતું. વધુમાં આ ઘટનામાં મિગ વિમાનમાં સવાર બન્ને પાઈલટ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામીણો અને સ્થાનિકો ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. હનુમાનગઢના બહલોલ નગરમાં આ ઘટના બની હોવાની માહિતી મળી છે.

- text

- text