તલાટીના પરીક્ષાર્થીઓ માટે હળવદ પોલીસ દ્વારા ફ્રી રીક્ષા સેવા

- text


હળવદ: આવતીકાલે તારીખ 7 મેના રોજ રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે ત્યારે હળવદમાં પરીક્ષા દેવા આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે હળવદ પોલીસ પરિવાર તરફથી ફ્રી રીક્ષા સેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદ પોલીસ દ્વારા અલગ અલગ 12 જગ્યાએ રીક્ષાઓ રાખવામાં આવશે. જેમાં બસ સ્ટેશન, સરા નાકુ, સરા ચોકડી, ટ્રાવેલ્સ સ્ટેશન સહિતના જે મુખ્ય જગ્યા જ્યાં બસ આવતી હોય એ જગ્યાએ રીક્ષા રાખવામાં આવશે. જેનો લાભ પરીક્ષાર્થીઓ લઈ શકશે.

- text

- text