મોરબીમાં સનાતન જ્યોત યાત્રાનુ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત

- text


હિન્દુ યુવા વાહિની દ્વારા સ્વાગત કરાયા બાદ હનુમાનજી મહારાજની મહાકાય ગદા 11 ફૂટ સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રાએ શહેરભરમાં પરિભ્રમણ કર્યું

મોરબી : કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ગદા 11 ફૂટ સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા આજે બુધવારે સવારે મોરબી મુકામે પધારી હતી. જેમાં હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબીમાં મહારાણા પ્રતાપ ખાતે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે આગમન થયા બાદ સનાતન જ્યોત યાત્રાનું સ્વાગત તેમજ પૂજન કરીને આ શોભયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને આ યાત્રાએ રથયાત્રા રૂપે મોરબીમાં પરિભ્રમણ કર્યું હતું. જેમાં સનાતન હિંદુ ભાઈઓએ આ જ્યોત યાત્રા દર્શનનો લાભ લઈને તેના જીવનને ધન્ય બનાવે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ યાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી પ્રસ્થાન થઈ રીલીફ નગરથી ઉમા ટાઉનશીપ, નટરાજ ફાટક, નવાપુલ ઉપર થઇને દરબાર ગઢથી ગ્રીનચોક, નગરદરવાજા ચોક, શાક માર્કેટ, જેઈલ રોડ થઇને વાઘપરા મેઈન રોડથી સીતારામ ચોક, રવાપર રોડ, નરસંગ ટેકરી, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ થઈ શનાળા રોડ પર થઇને ઉમિયા આશ્રમ પૂર્ણ કરવામાં આવી હતી.

યાત્રાના સ્વાગતમાં હિન્દુ યુવા વાહિનીના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમક હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ બોરીચા, જીતુભાઈ ચાવડા, જીતુભાઈ સેતા, ઈશ્વરભાઈ કનજારિયા, નિલેશભાઈ ડાંગર, ભાવેશભાઈ કુંભારવાડીયા, રાજુભાઈ ગજીયા, મેહુલભાઈ ડોડીયા, પાર્થભાઈ નેસડિયા તથા અન્ય કાર્યકર્તાઓ અને અધિકારીઓ જોડાયા હતા.

- text

- text