મોરબીમા કાલે સગર્ભાઓ માટે ફ્રી યોગા અને ગર્ભ સંસ્કાર સેમિનાર

- text


મોરબી : સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે સદભાવના હોસ્પિટલના સ્થળ સૌજન્યથી અને આર્ટ ઓફ લિવિંગ અને ડો. હર્ષાબેન મોરની પ્રેરણાથી હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા આવતીકાલે બુધવારે સગર્ભા મહિલાઓ માટે ફ્રી યોગા ફોર પ્રેગનન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તારીખ 3મે ને બુધવારે મોરબીના સદભાવના હોસ્પિટલના ત્રીજા માળે સવારે 6 થી 8 વાગ્યા સુધી ફ્રી યોગા ફોર પ્રેગનન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે. જેમાં ડો. હર્ષાબેન મોર સેવા આપશે અને ગર્ભાવસ્થા દરમિયાન યોગ કેવી રીતે મદદ કરે તે માટે અલગ અલગ યોગ અને પ્રાણાયામ શીખવવામાં આવશે. તો આ યોગા અને સેમિનારનો લાભ લેવા સાગર જેસ્વાણી અને ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા સગર્ભાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લાભ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડો. હાર્દિક જેસ્વાણીને મો. નં 92288 00108 પર વોટ્સએપ મેસેજ કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text