આવતીકાલે બુધવારે મોરબીના શ્રદ્ધા ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ 

- text


મોરબી  : આવતીકાલે તારીખ 26 એપ્રિલને બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીના કારણે મોરબીના 11 કેવી શ્રદ્ધા ફીડર સવારે 7 થી બપોરે 2-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે શ્રદ્ધા ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

આવતીકાલે બુધવારે શ્રદ્ધા ફીડર હેઠળના યમુના નગર, શ્રદ્ધા પાર્ક, શાંતિવન સોસાયટી, રણછોડ નગર ૧/૨, નિધિ પાર્ક, લાયન્સ નગર, ગોર ખીજડીયા રોડ, વિજય નગર, મદીના સોસાયટી, અમરેલી રોડ, પ્રકાશ પાર્ક, શાંતિવન સોસાયટી, કુલી નગર ૧/૨ વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે. કામ પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text