મોરબીમાં રખડતું ભટકતું જીવન જીવતા માનસિક અસ્થિર મહિલાને આશરો અપાયો

- text


સામાજિક કાર્યકરોએ 181 ટીમ સાથે રહી યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે આશ્રય અપાવ્યો

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર લાંબા સમયથી એક માનસિક અસ્થિર મહિલા રખડતું ભટકતું જીવન જીવી રહ્યા હોય મોરબીના સામાજિક કાર્યકરોની ટીમે આ મહિલાને આશ્રય મળી રહે તે માટે 181ના સહયોગથી યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે આશરો અપાવ્યો હતો.

મોરબીના શનાળા બાયપાસ ઉપર લાંબા સમયથી રખડતા ભટકતા માનસિક અસ્થિર મહિલાને આજે માનવતા ગ્રુપ દ્વારા 181 અભયમ ટીમની મદદથી યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે ખસેડી કાયમી આશ્રય અને સારવાર સુશ્રુશા મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કામગીરી સામાજિક કાર્યકરોની ટીમના રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ, કૌશલભાઈ મેહતા, વિજયભાઈ સીસોદીયા, જાનુભાઈ પલેજા સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.

- text

- text