ડો.બાબા સાહેબની શોભાયાત્રામાં RSS દ્વારા પાણી-શરબતની સુચારુ વ્યવસ્થા 

- text


મોરબી : ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજી જન્મ જયંતિ નિમિતે આજે મોરબી અને ટંકારામાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી નગર તથા જિલ્લાના કાર્યકરો દ્વારા સમગ્ર શોભાયાત્રા દરમ્યાન સરબત તથા પાણીની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.જેનો લાભ શોભાયાત્રામાં સામેલ મોટાભાગના વડીલો,બહેનો,બાળકો એ લીધેલ હતો. રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાના માર્ગદર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સેવાકાર્યમાં અને શોભાયાત્રામાં જોડાયેલ હતા. આ તકે રણછોડભાઈ કુંડારિયા,દિલીપભાઈ પરમાર,પ્રાણજીવનભાઈ વિડજા,હરિભાઈ સરડવા,મગનભાઈ રાઠોડ,જેઠાભાઈ કવૈયા વગેરે દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text