એપ્રિલ મહિનામાં ઓખા-નાહરલગુન સમર સ્પેશિયલ ટ્રેન નહીં દોડે 

- text


મોરબીઃ બનારસ ખાતે રિમોડેલિંગના કામને કારણે ઓખા-નાહરલગુન (અરુણાચલ પ્રદેશ) સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ એપ્રિલ 2023 માટે રદ કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન 02.05.2023 થી 27.06.2023 સુધી ઓખાથી દર મંગળવારે 22.00 કલાકે ઉપડશે અને શુક્રવારે 16.00 કલાકે નાહરલગુન પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર 09526 નાહરલગુન–ઓખા સ્પેશિયલ 06.05.2023 થી 01.07.2023 સુધી નાહરલગુન થી દર શનિવારે 10.00 કલાકે ઉપડશે અને મંગળવારે 03.35 કલાકે ઓખા પહોંચશે. ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સ્પેશિયલ માટેનું બુકિંગ 1 લી એપ્રિલ, 2023 થી PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે.

- text

1278345107

- text