- text
મોરબી : ચકચારી ઝૂલતા પુલ કેસમાં આજે મોરબી કોર્ટમાં જયસુખ પટેલ સહિતના આરોપીઓ મુદતે હાજર રહ્યા હતા અને આ કેસની વધુ સુનાવણી તા. ૧૫ એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.
ઝૂલતા પુલ કેસમાં ઓરેવાકંપનીના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલ તેમજ મેનેજર સહીત ૯ આરોપીઓ જેલમાં છે અને હજુ સુધી એકેય આરોપીઓને જામીન મળ્યા નથી ત્યારે આજે નામદાર મોરબી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે આરોપી જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે કોર્ટે આગામી સુનાવણી માટે 15 એપ્રિલની નવી તારીખ આપી હતી જેથી હવે આ ચકચારી કેસની વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
- text
- text